મારા પપ્પા ઝવેરા પધરાવવા ગ્યાતા ને અંદર…’, કેનાલમાં ડૂબ્યા બાદ પિતા માટે દીકરીનું કલ્પાંત રડાવી દેશે

By: nationgujarat
14 Jul, 2025

ગાંધીનગર નજીક અડાલજમાં ગઇકાલે બનેલી એક દુર્ઘટનાએ માત્ર એક પરિવારને નહીં, પણ આખા સમાજને ઝંઝોળી નાખ્યો છે. 6 વર્ષની માસૂમ દીકરીના આંખ સામે તેના પિતા કેનાલમાં ડૂબી જાય અને તે કંઈ કરી ન શકે. એવી અકલ્પનીય ઘટના ગઇકાલે બની. ડૉ. નિરવ રવિન્દ્રભાઈ બ્રહ્મભટ્ટ, એક અનુભવી પીડિયાટ્રિક તબીબ અને માનવ સેવા માટે પ્રતિબદ્ધ વ્યક્તિ, ગઇકાલે અડાલજ નર્મદા કેનાલમાં દુર્ઘટનાગત રીતે ડૂબી ગયા અને તેમનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું.

ડૉ. નિરવ પોતાની દીકરી દ્વીજાને ગોરાના જવારા પધરાવવા માટે સાથે લઈને એક્ટિવા પર અડાલજ કેનાલે પહોંચ્યા હતા. ત્યાં તેમણે દીકરીને કેનાલની બહાર ઊભી રાખી અને પોતે જવારા પધરાવવા માટે પાણીમાં ઉતર્યા. તે સમયે દીકરી ત્યાં ઊભી રહીને તેના પિતાની રાહ જોતી હતી પણ તે ક્ષણે તેને શું ખબર કે તેના પપ્પા હવે પાછા નહીં ફરે.


Related Posts

Load more